Skip to main content

પ્રશ્નોત્તરી (પ્રશ્ન 3)

પ્રશ્ન : આપે ધૂન કરાવતા પહેલા "ૐ" શબ્દનો ઉચ્ચાર કર્યો તો કૃપા કરી બતાવો કે "ૐ" ના ઉચ્ચારથી શરીરમાં શું થાય છે ?

૫.પૂ. પુનિતબાપુશ્રી : હા, "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" આ મહામંત્ર સિધ્ધોએ આપેલો છે. વેદોના મંત્રોમાં આપણે બોલીએ છીએ કે - ‘હરિ: ૐ સહસ્ત્ર શીર્ષા પુરુષાઃ...' આપણે જોઈએ છીએ કે કોઈ મંત્રોમાં હરિ: શબ્દથી વેદમંત્રોનો ઉચ્ચાર શરૂ થાય છે. ૐ એ અખિલ બ્રહ્માંડનું સ્વરૂપ છે. ૐકાર વિશે જેટલું પણ બોલીએ તે ઓછું જ છે. કોઈ કોઈ મહાપુરુષ જણાવેલ છે કે - ૐકારમાં એટલી બધી પ્રચંડ શક્તિ છે કે કોઈ ગૃહસ્થાશ્રમીએ, ધંધાદારીએ માત્ર એકલા ૐકારનો જાપ ન કરવો જોઈએ. કોઈ તર્કશીલો જણાવે છે કે - ૐકાર પર માત્ર અને માત્ર સંન્યાસીનો હકક છે, વિદ્વાનો માટે જ તે છે, અમે શા માટે ન કરીએ... આપ કરી શકો પણ માત્ર ‘ૐ’ નો જાપ કરશો તો તેની શક્તિ આપની અંદર કામ કરશે. માત્ર ૐ એટલે ‘બ્રહ્મ સત્યમ્ જગત્મિથ્યા' અર્થાત્ સમગ્ર જગત મિથ્યા છે. એક માત્ર બ્રહ્મ જ સત્ય છે. આ બધું જ વ્યર્થ છે. ખૂબ જ ૐકારના જાપ પછી એમ લાગે છે કે - ધંધો વ્યર્થ છે, શા માટે કરવો ? થોડા ભોજન માટે આ બધી ઝંઝટ... તેને બદલે જપ કરીએ, આત્મ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ. આ ઘર પણ શા માટે બનાવવું, બાળ-બચ્ચાની શી જરૂરત, નોકરી-ધંધામાં શો ફાયદો...આવું થવા લાગે છે. આપને એવું લાગે છે કે - હવે સંન્યાસ લઈ લઉં, જંગલમાં ચાલ્યો જાઉં તેથી ઘરમાં તકલીફો-પરેશાનીઓ શરૂ થઈ જાય. આપને આ બધી પ્રક્રિયાની ખબર નહીં પડે. એક બાજુ ફરજ અદા કરવાનું મન થાય અને બીજી બાજુ ન કરવાનું મન થાય છે. તેથી માત્ર ૐકારનો જાપ સંન્યાસીઓ કરે છે કે જેમને સંસાર-જગતમાં જવાનું મન ન થાય, પોતાની મસ્તીમાં મસ્ત રહે. ૐ એ શ્રેષ્ઠ છે. ૐ નો જબરજસ્ત પ્રભાવ છે. કોઈ મંત્રની આગળ ૐ લગાડી જાપ કરી શકાય, પાછળ પણ ૐ લગાડી જાપ કરી શકાય. કોઈ કોઈ મંત્રની વચ્ચે પણ ૐ આવે છે, ૐ એ બ્રહ્મનું સ્વરૂપ છે. તેની શક્તિ બધા મંત્રોને પ્રકાશિત કરે છે, શક્તિશાળી બનાવે છે. તેથી ૐ તો હોવો જ જોઈએ પણ માત્ર ૐકારનો જાપ માત્ર સંન્યાસીઓ માટે જ છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ૐકારમાં એટલી બધી પ્રચંડ શક્તિ છે કે કોઈ ગૃહસ્થાશ્રમીએ, ધંધાદારીએ માત્ર એકલા ૐકાર નો જાપ ન કરવો જોઈએ."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



OM Dhyana Meditation sahajyog MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace