પ્રશ્નોત્તરી (પ્રશ્ન 3)
પ્રશ્ન : આપે ધૂન કરાવતા પહેલા "ૐ" શબ્દનો ઉચ્ચાર કર્યો તો કૃપા કરી બતાવો કે "ૐ" ના ઉચ્ચારથી શરીરમાં શું થાય છે ?
૫.પૂ. પુનિતબાપુશ્રી : હા, "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" આ મહામંત્ર સિધ્ધોએ આપેલો છે. વેદોના મંત્રોમાં આપણે બોલીએ છીએ કે - ‘હરિ: ૐ સહસ્ત્ર શીર્ષા પુરુષાઃ...' આપણે જોઈએ છીએ કે કોઈ મંત્રોમાં હરિ: શબ્દથી વેદમંત્રોનો ઉચ્ચાર શરૂ થાય છે. ૐ એ અખિલ બ્રહ્માંડનું સ્વરૂપ છે. ૐકાર વિશે જેટલું પણ બોલીએ તે ઓછું જ છે. કોઈ કોઈ મહાપુરુષ જણાવેલ છે કે - ૐકારમાં એટલી બધી પ્રચંડ શક્તિ છે કે કોઈ ગૃહસ્થાશ્રમીએ, ધંધાદારીએ માત્ર એકલા ૐકારનો જાપ ન કરવો જોઈએ. કોઈ તર્કશીલો જણાવે છે કે - ૐકાર પર માત્ર અને માત્ર સંન્યાસીનો હકક છે, વિદ્વાનો માટે જ તે છે, અમે શા માટે ન કરીએ... આપ કરી શકો પણ માત્ર ‘ૐ’ નો જાપ કરશો તો તેની શક્તિ આપની અંદર કામ કરશે. માત્ર ૐ એટલે ‘બ્રહ્મ સત્યમ્ જગત્મિથ્યા' અર્થાત્ સમગ્ર જગત મિથ્યા છે. એક માત્ર બ્રહ્મ જ સત્ય છે. આ બધું જ વ્યર્થ છે. ખૂબ જ ૐકારના જાપ પછી એમ લાગે છે કે - ધંધો વ્યર્થ છે, શા માટે કરવો ? થોડા ભોજન માટે આ બધી ઝંઝટ... તેને બદલે જપ કરીએ, આત્મ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ. આ ઘર પણ શા માટે બનાવવું, બાળ-બચ્ચાની શી જરૂરત, નોકરી-ધંધામાં શો ફાયદો...આવું થવા લાગે છે. આપને એવું લાગે છે કે - હવે સંન્યાસ લઈ લઉં, જંગલમાં ચાલ્યો જાઉં તેથી ઘરમાં તકલીફો-પરેશાનીઓ શરૂ થઈ જાય. આપને આ બધી પ્રક્રિયાની ખબર નહીં પડે. એક બાજુ ફરજ અદા કરવાનું મન થાય અને બીજી બાજુ ન કરવાનું મન થાય છે. તેથી માત્ર ૐકારનો જાપ સંન્યાસીઓ કરે છે કે જેમને સંસાર-જગતમાં જવાનું મન ન થાય, પોતાની મસ્તીમાં મસ્ત રહે. ૐ એ શ્રેષ્ઠ છે. ૐ નો જબરજસ્ત પ્રભાવ છે. કોઈ મંત્રની આગળ ૐ લગાડી જાપ કરી શકાય, પાછળ પણ ૐ લગાડી જાપ કરી શકાય. કોઈ કોઈ મંત્રની વચ્ચે પણ ૐ આવે છે, ૐ એ બ્રહ્મનું સ્વરૂપ છે. તેની શક્તિ બધા મંત્રોને પ્રકાશિત કરે છે, શક્તિશાળી બનાવે છે. તેથી ૐ તો હોવો જ જોઈએ પણ માત્ર ૐકારનો જાપ માત્ર સંન્યાસીઓ માટે જ છે.
"ૐકારમાં એટલી બધી પ્રચંડ શક્તિ છે કે કોઈ ગૃહસ્થાશ્રમીએ, ધંધાદારીએ માત્ર એકલા ૐકાર નો જાપ ન કરવો જોઈએ."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ
OM
Dhyana
Meditation
sahajyog
MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj
Hari Om Tatsat Jai Guru Datta
Mantra for mental peace