પ્રશ્નોત્તરી
પ્રશ્ન : ધ્યાન કરવા માટે કોઈ નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્થાન હોવું જરૂરી છે કે ગમે ત્યારે ગમે તે સ્થળે ધ્યાન કરી શકાય છે ?
૫.પૂ. પુનિતબાપુશ્રી : શાસ્ત્રોમાં દર્શાવેલ છે અને તમે લોકો જાણો છો કે - યોગાસન અને ધ્યાન માટે ખાલી પેટ હોવું જરૂરી છે. ખાલી પેટ હોય અને પ્રાતઃકાળનો સમય ઉત્તમોત્તમ છે, કારણ કે આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જે રીતે સવારે જોવા મળતી ઝાકળ કે વરસાદી વાતાવરણ વખતે જોવા મળતી ધુમ્મસ દૂર કરવા માટે ગાડીની લાઈટ શરૂ રાખવી પડે છે અથવા સૂર્યોદય થતા તે દૂર થાય છે તે રીતે આધ્યાત્મિક વિજ્ઞાન અનુસાર સંતોના આશીર્વાદનું પડ અથવા શુધ્ધ સાત્ત્વિક જ્ઞાન કે સોહમ્ મય પવિત્ર વાતાવરણ પ્રાતઃકાળમાં જમીનથી ૨૦-૨૫ ફુટ ઉંચાઈ સુધી લબાલબ ભરેલું હોય છે જે સૂર્યોદય થતા વિખરાવા લાગે છે. દરરોજ સિધ્ધ લોકો-સંતો આશીર્વાદ પ્રવાહિત કરે છે કે જેથી પૃથ્વી આચ્છાદિત રહે છે. તે સમયે પશુ-પક્ષી સૂતા હોય છે. તમામ વૃક્ષો પ્રાતઃકાળમાં પ્રાણવાયુ છોડે છે અને રાત્રે અંગારવાયુ છોડે છે સિવાય કે પીપળાનું વૃક્ષ. આ વૃક્ષ ચોવીશ કલાક પ્રાણવાયુ છોડે છે તેથી પીપળાના વૃક્ષ સિવાય અન્ય વૃક્ષ નીચે રાત્રે સુવું ન જોઈએ. વહેલી સવારે ધ્યાન કરવાથી ગાઢ ધ્યાન લાગે છે. આપ ફ્રેશ રહેશો. આપને ઉંડુ ધ્યાન લાગશે. પેટ ખાલી હોય તો વિશેષ સારું છતાં આપને સમય ન મળતો હોય તો જમ્યા પછી બે કલાકે ધ્યાન કરવું. સવારે-બપોરે-સાંજે કે જ્યારે સમય મળે ત્યારે ધ્યાન કરવું પણ અમારા આ સહજ ધ્યાનમાં આપ ભોજન કરો અને ધૂન કરી ધ્યાનમાં બેસો તો પણ ધ્યાન લાગશે પણ તમને ખબર નહીં પડે કે જમ્યા પછી જે નશો ચડી રહ્યો છે તે ધ્યાનનો નશો છે તેથી જમ્યા પહેલા ધ્યાન કરો તો સારું. હકીકતે "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" મહામંત્રથી ગમે ત્યારે ગમે ત્યાં ધ્યાન લાગે છે.
" 'હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મહામંત્રથી ગમે ત્યારે ગમે ત્યાં ધ્યાન લાગે છે"
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ
Dhyana
Meditation
sahajyog
MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj
Hari Om Tatsat Jai Guru Datta
Mantra for mental peace